મોરબીના લુહાણાપરામાં વરસાદી પાણી ભરાવા મામલે વેપારીઓની કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : મોરબીની શાક માર્કેટ પાછળ આવેલા લુહાણાપરા શેરી નંબર 1 અને 2માં વરસાદી પાણી ભરાઈ રહેતા વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

લુહાણાપરા-1 અને 2માં અનેક દુકાનો આવેલી છે. ત્યારે અહીંયા છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે. જેના કારણે ધંધા-રોજગાર છેલ્લા 10 દિવસથી બંધ છે. વરસાદી પાણી ભરાયેલા હોવાથી દુકાનદારો દુકાન પણ ખોલી શકતા નથી. સાથે જ રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જેથી આજ રોજ વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી માંગ કરી છે.

- text

- text