- text
મોરબી : આગામી તારીખ 7 જુલાઈના રોજ મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળવાની છે ત્યારે આ શોભાયાત્રા મહોત્સવમાં મોરબીના રામ વડવાળા ગ્રુપ દ્વારા શરબદ અને પાણીની સેવા પૂરી પાડવામાં આવશે.
- text
અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. જેમાં દર વર્ષની જેમ સતત 15માં વર્ષે મોરબીના રામ વડવાળા ગ્રુપ દ્વારા 1 હજાર લીટર શરબત અને 1 હજાર લીટર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ દરબારગઢ સ્થિત ખોડીયાર માતાજા મંદિર પાસે રાખવામાં આવ્યો છે. તો સર્વે મોરબીવાસીઓને આ કેમ્પમાં શરબત અને પાણીનો લ્હાવો લેવા જણાવાયું છે.
- text