મોરબીના કેરાળામા ઘરધણી સુતા રહ્યા અને તસ્કરો ફાવી ગયા : 3.52 લાખની ચોરી

- text


તસ્કરોએ રસોડાના દરવાજા તોડી ઘરમાં ઘુસી હાથફેરો કર્યો

મોરબી : મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામે રહેતા ખેડૂત પરિવારના સભ્યો ગરમીમાં રાહત માટે બહાર સુતા હતા ત્યારે મોકાનો લાભ લઇ તસ્કરોએ રસોડાનો દરવાજો તોડી ઘરમાં ઘુસી સોના- ચાંદીના દાગીના અને રોકડ સહિત 3.52 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામે રહેતા અમરશીભાઈ શિવાભાઈ ચારોલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.20ના રોજ રાત્રીના સમયે તેઓ તેમજ તેમના પરિવારજનો બહાર ફળિયામાં તેમજ અગાસીમાં સુતા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ ઘરના રસોડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી લોખંડના કબાટમાંથી 2, 02,112ના સોના તેમજ ચાંદીના દાગીના અને દોઢ લાખ રોકડા મળી કુલ 3,52,112નો મુદ્દામાલ ચોરી કરી જઈ ફરિયાદીના નાનાભાઈ દિનેશભાઇ મકાનનો મુખ્ય દરવાજો તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text