ભુતકોટડા શાળાની શિક્ષિકાએ સ્વર્ગસ્થ પિતાના જન્મદિવસે વૃક્ષારોપણ કર્યું

- text


ટંકારા : ભુતકોટડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બતાવતી ગીતાબેન મનસુખલાલ સાંચલાએ આજ રોજ પોતાના સ્વર્ગસ્થ પિતા મનસુખલાલ તુલસીદાસ સાંચલાના જન્મદિવસ નિમિત્તે તેમની યાદમાં શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું અને જન્મદિવસની હરિયાળી ઉજવણી કરી હતી.

શિક્ષિકા ગીતાબેન સાંચલાએ સ્વર્ગસ્થ શિક્ષિક પિતા મનસુખલાલ સાંચલાના જન્મદિવસે આજે શાળામં ઔષધિય રોપા તેમજ ફૂલ-છોડના આશરે 50 જેટલા રોપાનું શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓના સહયોગથી રોપણ કરાવ્યું હતું. સાથોસાથ ‘એક બાળ એક ઝાડ’ અંતર્ગત ભુતકોટડા ગામમાં જેમની ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તેમના નામનું એક વૃક્ષ વાવવાનું નક્કી કર્યું હતું. ગીતાબેન સાંચલાના પિતા તેમના વતન સરપદડમાં શિક્ષક હતા. તેમના જીવનકાળ દરમ્યાન બાળકોના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમની પાંચેય દીકરીઓ આજે સરકારી ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ તેમના પગલે ચાલી બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. આજે તેમના સ્વર્ગીય શિક્ષક પિતાનો જન્મદિવસ પાંચેય દીકરીઓએ વૃક્ષારોપણ કરી અલગ રીતે ઉજવણી કરી સમાજને એક અલગ રાહ ચીંધી છે.

- text

- text