આજે યોગિની એકાદશી : જાણો.. કુબેર, હેમમાલી અને માર્કંડેય ઋષિની કથા

- text


મોરબી : એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક પૂર્ણિમા પછી અને બીજી અમાવાસ્યા પછી. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે યોગિની એકાદશી વ્રત 2 જુલાઈ એટલે કે આજ રોજ મનાવવામાં આવે છે. એકાદશીમાં ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવા અને તેમની પૂજા કરવાનો નિયમ છે. યોગિની એકાદશીનુ મહત્વ – યોગિની એકાદશીનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે સુષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનુ વિધાન છે. પૌરાણિક માન્યતાઓ મુજબ યોગિની એકાદશીનુ વ્રત કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાનુ પુણ્ય મળે છે.


યોગિની એકાદશી વ્રતકથા

અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શિવ ભક્ત હતો. તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો. તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી. એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પ લઇ આવ્યો પરંતુ કામાસક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો.

જયારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઇ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઇને કેમ નથી આવ્યો? જયારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા : હે રાજન! હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે. યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવાની આજ્ઞા આપી.

હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા. તેમને કહ્યું કે તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે. તેથી, હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુ લોકમાં જઈને કોઢી થશે.

- text

કુબેરના શાપથી તે જ ક્ષણે સ્વર્ગમાથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઇ ગયો. તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ. મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા. પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલીન ના થઇ અને પાછળના જન્મની શુધી પણ રહી. તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વ જન્મના કુકર્મો નું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો. ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમે પહોચ્યો. તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા. તે બીજા બ્રહ્માના સમાન લગતા હતા. તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો. હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો.

તેને જોઈને માર્કડેય ઋષિ બોલ્યા : તે એવા કયા ખોટા કર્મો કર્યા છે. જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે? ત્યારે હેમમાલીએ કહ્યું, હે મુની! હું રાજા કુબેરનો સેવક છું. હેમમાલી મારું નામ છે. પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઇ ગયું અને બપોર સુધી પુષ્પો લઇને ન પહોચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ. તેથી, હું કોઢી થઇ ગયો અને મહાન દુઃખ ભોગવું છું. તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય.

માર્કંડેય ઋષિ બોલ્યા : “તે મારી પાસે સત્ય વચન કહ્યાં છે. તેથી, હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઇ જાશે.” તેથી, હેમમાલી ખુબ પ્રસન્ન થયો અને મુનીના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો.

 

- text