- text
મોરબી : મોરબીમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત દ્વારા આદર્શ નિવાસી શાળામાં 126 વૃક્ષોનો રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આ દરમિયાન આદર્શ નિવાસીના શાળાના બાળકો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં 50 જેટલા વૃક્ષોને વાવવામાં આવ્યા. સાથે જ બાળકને એક-એક વૃક્ષ સોંપવામાં આવ્યું. અહીંયા બાળક જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તે વૃક્ષની જાળવણી કરશે.
આ પ્રસંગે શાળાના આચાર્ય પી.જી. ઉકાણી દ્વારા પર્યાવરણ વિશે માહિતી આપવામાં આવી હતી. અને શાળાના સ્ટાફે વૃક્ષો વાવવામાં મદદ કરવામાં આવી. આ ઉપરાંત પનારાબેન, દવે સાહેબ, ધવલ બરાસરા, સવસેટા, કે.ડી. કાંજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)