નિવૃત પીએસઆઇનું વતન નેસડા (ખાનપર) ખાતે ભવ્ય સ્વાગત કરાયું

- text


કોરોના કાળ દરમિયાન તેમને કચ્છ-જામનગર અમદાવાદમાં ફરજ બજાવી હતી

ટંકારા : ટંકારાના નેસડા (ખાનપર) ગામના વતની SRPFમાં પી.એસ.આઇ. તરીકેની ફરજ બજાવતા તુલસીભાઈ પરમાર વય મર્યાદાથી નિવૃત થયા છે. તુલસીભાઈ પરમારે 33 વર્ષ સુધી SRPFમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવી હતી. પોતાની ફરજ પરથી નિવૃત થતા તેઓ પોતાના વતન નેસડા (ખાનપર) ગામે પરત ફર્યા હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તુલસીભાઈ પરમારે ફરજ દરમિયાન અનેક ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમને ભારતના અનેક રાજ્યમાં ચુંટણી ફરજ પણ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન પણ તુલસીભાઈ પરમારે કચ્છ-જામનગર અમદાવાદમાં ફરજ બજાવી હતી.

- text

- text