Morbi : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્યના પિતાની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


 

મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્ય પંકજભાઈ ચૌહાણ અને જયશ્રીબેન વાઘેલાના પિતા સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની સ્નેહ સ્મૃતિમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવવા ગઈકાલે તારીખ 1 જુલાઈ ને સોમવારના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં કોઈપણ જરૂરિયાતમંદને બ્લડ મફતમાં આપવામાં આવે છે. તેથી સિવિલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 31થી વધુ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

- text

આ તકે મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા મોરબી જિલ્લા મહામંત્રી જેઠા ભાઈ મિયાત્રા, બિપીનભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ, મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, ઉપપ્રમુખ આરતીબા રાણા કારોબારી સભ્ય સરલાબેન રાચછ હાજરી આપી હતી અને આખો પરિવાર હાજર રહ્યો હતો આ કેમ્પ ને સફળ બનાવવામાં પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, જયશ્રીબેન સાગર ભાઈ વાઘેલા અનસ્ટોપેબલ વોરિયર ગ્રૂપના પ્રમુખ હેતલબેન પટેલ સહિતના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવમાં આવી હતી.

- text