- text
વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા રાજસિંહ રણજીતસિંહ પઢીયાર ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text