સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પાછા ફરે તે માટે નવયુગ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઈ

- text


મોરબી : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રાએ ગયા છે અને તેઓના પરત ફરવાના સમયમાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે સુનિતા વિલિયમ્સ હેમખેમ અવકાશયાત્રાએથી પરત ફરે તે માટે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી.

મહત્વનું છે કે, સુનિતા વિલિયમ્સ 13 જૂને અવકાશયાત્રાએથી પૃથ્વી પર પરત ફરવાના હતા. પરંતુ એકક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ અવકાશયાત્રાએથી પરત ફરી શક્યા નથી. ત્યારે સમગ્ર ભારતમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આજ રોજ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની તમામ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ દ્વારા સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

- text

- text