- text
મોરબી : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે મોરબીની મુલાકાત લીધી હતી. જેની સાથે લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલીયા સહિતના આગેવાનો તેમજ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનોએ સર્કીટ હાઉસ ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનાનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેમની વ્યથા જાણી હતી અને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે તેઓ સાથે હોવાની ખાતરી આપી હતી. ઝુલતા પુલ દુર્ઘટનામાં પીડિત પરિવારો સંગઠન બનાવી લડત ચલાવી રહ્યા છે. ત્યારે તેમની લડતને જીગ્નેશભાઈ મેવાણીએ પણ સમર્થન આપ્યું હતું.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)