ટંકારામા ઝેરી જનાવર કરડી જતા બાળકનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર નદીના સામાકાંઠે ઝૂંપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા નામના આદિવાસી યુવાનના પુત્ર આશિક ઉ.7ને ગત તા.29ના રોજ વહેલી સવારમાં ઝેરી જનાવર કરડી જતા પ્રથમ મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text