- text
મોરબી : આહિર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા આ સપ્તાહને “વૃક્ષારોપણ સપ્તાહ” તરીકે ઉજવવામાં આવનાર છે. ત્યારે આજ રોજ 1 જુલાઈ ને સોમવારથી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આહિર સેના ગુજરાત મોરબી જિલ્લાની ટીમ દ્વારા 1000 વૃક્ષ વાવી તેને ઉછેરવામાં આવશે. પ્રકૃતિનું જતન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે જેથી આપણા જીવનમાં અમૂલ્ય મહત્વ ધરાવતા વૃક્ષોની સાર-સંભાળ રાખી તથા નવા વૃક્ષો વાવી દરેકે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ તે હેતુ સાથે આહિર સેના ગુજરાત મોરબી જિલ્લાની ટીમ દ્વારા વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે..
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)