જેતપર પાસે ચાલુ વરસાદે થતું દિવાલનું કામ બંધ કરાવાયું

- text


મોરબી : મોરબીના જેતપર ગામ પાસે ચાલુ વરસાદે દીવાલ બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. આ મામલે માર્ગ અને મકાન વિભાગને જાણ થતાં કામ બંધ કરાવવામાં આવ્યું હતું.

મોરબી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલુ વરસાદે ચણતર કામ નબળું થાય એટલે તેને બંધ રાખવામાં આવે છે. પરંતુ જેતપર ગામે દીવાલ બનાવવાનું કામ ચાલુ વરસાદે કરવામાં આવી રહ્યું હતું. જે અંગેની માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેષ આદ્રોજાને જાણ થતાં તેઓએ કામ બંધ કરાવ્યું હતું. બાદમાં તેઓએ વરસાદ દરમિયાન નખાયેલ રેતી, કપચી સહિતની વસ્તુઓ કઢાવી વ્યવસ્થિત કામ શરૂ કરાવ્યું હતું.

- text

- text