2 જુલાઈએ ક્ષત્રિય કરણી સેનાની મોરબી ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે 

- text


સમારોહમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજસિંહ શેખાવત હાજરી આપશે

મોરબી : ક્ષત્રિય કરણી સેનાના સ્થાપના દિવસે મોરબીની ટીમનો ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આગામી તારીખ બે જુલાઈને મંગળવારના રોજ સાંજે 5:00 વાગ્યાથી મોરબીના પંચમુખી હનુમાનજી મંદીર, સ્મશાનની બાજુ માં, યુનિક સ્કૂલ ની સામે, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, ખાતે ક્ષત્રિય કરણી સેના પરિવાર મોરબીની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજસિંહ શેખાવત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ યશરાજસિંહ ગોહિલ, યુવા સંગઠન મંત્રી ગુજરાત નરોત્તમસિંહ સેંગર (મિન્ટુ ભૈયા) પણ ઉપસ્થિત રહેશે. સ્થાપના દિવસ નિમિત્તે શિવ શક્તિ પરિવાર દ્વારા પ્રસાદરૂપી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે સનાતનીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આ શપથ ગ્રહણ સમારોહમાં ક્ષત્રિય કરણી સેના પરિવાર મોરબીના જિલ્લા યુવા અધ્યક્ષ તરીકે બલરામસિંહ સેંગર, મહામંત્રી તરીકે વિનોદસિંહ તોમર, પ્રતાપસિંહ તોમર, ત્રિલોકસિંહ સેંગર, મીડિયા પ્રભારી તરીકે પ્રદિપસિંહ સેંગર, મંત્રી કલ્લુસિંહ સેંગર, મહેન્દ્રસિંહ ભદૌરિયા (રિન્શુ સિંહ), કોષાધ્યક્ષ તરીકે હરનામસિંહ ભદૌરીયા, અનુપસિંહ સેંગર, ઉપાધ્યક્ષ તરીકે જીતુસિંહ ભદૌરીયા મનોજસિંહ (ગુડ્ડસિંહ) તોમરની નિયુક્તિ કરવામાં આવી છે.

- text