હળવદ તાલુકાનો બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો, હેઠવાસના ગામોને સતર્ક રહેવા સૂચના

- text


હળવદ : હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો હોવાથી ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવી શકે છે. જેથી હેઠવાસના ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

- text

હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ વરસાદના કારણે 90 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં 400 કયુસેક આવક નોંધાઈ રહી છે. જેને કારણે ગમે ત્યારે દરવાજા ખોલાઈ શકે છે. જેથી ડેમના હેઠવાસમાં આવતા સુસવાવ, કેદારિયા, ઘનાળા, રાયસંગપુર, મયુરનગર, મીયાળી, ચાડધ્રા, ટિકર, માનગઢ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text