હળવદમાં 1 જુલાઈએ નવા ફોજદારી કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે 

- text


હળવદ : ભારત સરકાર દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદા તારીખ 1 જુલાઈ 2024ના રોજથી અમલમાં આવનાર છે ત્યારે લોકોમાં આ કાયદા અંગેની જાગૃતિ ફેલાય તે માટે આવતીકાલે 1 જુલાઈના રોજ હળવદ પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

હળવદ પોલીસ સ્ટેશન આયોજિત આ કાર્યક્રમ આવતીકાલે હળવદના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત ભોજનાલય ઉપર આવેલા ખેડૂત મિટીંગ હોલમાં યોજાશે. જેમાં લોકોને 3 નવા ફોજદારી કાયદા અંગે ની માહિતી આપવામાં આવશે. તો તમામ લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.

- text