- text
ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામના યુવાનોએ આ ચોમાસામાં પોતાના ગામમાં 500 વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. જે અન્વયે આજરોજ ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 જેટલા યુવાનોએ વરસાદી વાતાવરણમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આવનારા સમયમાં હજુ 300 વૃક્ષો વાવવામાં આવશે એવું કામધેનુ ગૌશાળા હિરાપરના સભ્યોએ જણાવ્યું હતું. હાલની પરિસ્થિતિને જોતા આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો એ પર્યાવરણની સૌથી મોટી જરૂરિયાત છે. દૂષિત થતાં પર્યાવરણને બચાવવા માટેનો એકમાત્ર ઉપાય વૃક્ષોનું વાવેતર જ છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)