હળવદ : છોટા કાશી તરીકે ઓળખાતા હળવદમાં છેલ્લા ઘણા સમયથી નોનેવેજના હાટડા શરૂ થઈ ગયા હોય તમામ દુકાનો - લારીઓ બંધ કરાવવાની માંગ સાથે શનિવારે હળવદમાં વિશાળ મૌન રેલી યોજાઈ હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.છોટીકાશી હળવદ શહેરના ઐતિહાસિક સામંતસર તળાવમાં માછીમારીની ઘટના બાદ આજે શનિવારે શહેરના લક્ષ્મીનારાયણ ચોક ખાતેથી હળવદ મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો બાઈક સાથે જોડાયા હતા અને મામલતદાર કચેરી પહોંચીને હળવદમાં ગેરકાયદેસર રીતે ચાલતા માંસાહારના હાટડા સદંતર બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી. આ મૌન રેલીમાં લોકો ‘હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરો’ અને ‘છોટા કાશી હળવદની પરંપરાને જાળવી રાખો’ના બેનર સાથે જીવદયાપ્રેમી લોકો જોડાયા હતા.