અમરનગર, રોટરીગ્રામ અને શકિતનગર ગામની શાળામાં 51 બાળકોનો હરખભેર પ્રવેશ

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા ૨૬ મી જૂન ૨૦૨૪ થી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં આવેલી સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરેલ છે. જેના અનુસંધાને આજરોજ અમરનગર, રોટરીગ્રામ (અ.), શકિતનગર ગામે ત્રણેય શાળાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એચ. કે. વઢવાણીયા અને પાણી પુરવઠા વિભાગના દાણીદારીયા, બંને ગ્રામપંચાયત અમરનગર, શકિતનગરના સરપંચ, SMC સમિતિ તેમજ ગામલોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધો-૧ માં ૫૧ બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજ રોજ વેન્ટો ગ્રુપના સંજયભાઈ કોટડીયા તેમજ સ્વર્ગસ્થ સુંદરજીભાઈ ભુરાભાઈ પાડલીયાના સ્મરણાર્થે પુત્ર નરેન્દ્રભાઇ અને પુત્રવધુ અલ્કાબેન તરફથી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળાના ૭૦ બાળકોને એક એક જોડી યુનિફોર્મ આપવામાં આવેલ તેમનું અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમ શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાની યાદીમાં જણાવેલ છે.

- text

- text