મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદગત મિત્રને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબી : રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્માતમાં અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

આ તકે સદગત રવિનભાઈ રાણપરાના મિત્રોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓએ સદગત રવિનભાઈ રાણપરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text