માળિયા (મિ.)ના ચાંચાવદરડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

- text


માળિયા (મિ.) : તાલુકાના ચાંચાવદરડા ગામ ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માળિયા (મિ.) તાલુકા વિકાસ અધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈવા સીરામીક કંપનીના અમિતભાઈ મણવરના સહયોગથી ફળાઉ વૃક્ષો જેવા કે, આંબો, ચીકુ, સંતરા, જાંબુ, મોસંબી વગેરે જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન ગામના આગેવાનો, વહીવટદાર, તલાટી કમ મંત્રી, આંગણવાડી વર્કર તથા આશા વર્કર દ્વારા વૃક્ષારોપણ કરી તેની માવજત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

- text

- text