- text
આર્ય વિદ્યાલયમ નજીક સર્જાયેલ અકસ્માતમા એક યુવાન ઘાયલ
ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક રહેતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ આર્ય વિદ્યાલયમ નજીક શુક્રવારે રાત્રીના સમયે કાર અને ડબલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક રહેતા રવિ સાહોલિયાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજયુ હતું. જ્યારે આ અકસ્માતમાં પાર્થભાઈ જોશી ગંભીર રીતે ઘાયલ થતા ટંકારા 108ના પાઈલોટ અશોકભાઈ અને મેડિકલના વલ્લભભાઈ લાઠિયાએ ચાલુ સારવારે મોરબી ખસેડયા હોવાનું જાણવા મળે છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)