મોરબી તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખે વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખે વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબી : મોરબી તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ત્રાજપરના પૂર્વ સરપંચ અશોકભાઈ પોપટભાઈ વરાણીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરી હતી. પર્યાવરણ પ્રત્યે સજાગતા દાખવીને અશોકભાઈ વરાણીયાએ આજે પોતાના જન્મદિવસને વૃક્ષારોપણ કરીને યાદગાર બનાવ્યો હતો અને પોતાનો પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે આ વૃક્ષોનું જતન કરવાનો પણ સંકલ્પ લીધો છે.

- text

- text