- text
મોરબી : મોરબી શહેરમાં રોડ-રસ્તાની ખરાબ હાલત અને ગટરના તૂટેલા ઢાંકણાથી અનેક લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે પંચાસર મેઈન રોડ પર એક ગટરનું ઢાંકણું તૂટી જતાં અકસ્માતનો ભય ઉભો થયો છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
પંચાસર મેઈન રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. એક તરફ રોડની હાલત પણ ખરાબ છે ત્યારે ઉપરથી વારંવાર ગટરના ઢાંકણા તૂટી જતાં લોકોને ભયના ઓથાર નીચેથી પસાર થવું પડી રહ્યું છે અને દુર્ઘટનાઓ પણ સર્જાઈ રહી છે. હાલમાં જ પંચાસર મેઈન રોડ પર એક ગટરનું ઢાંકણું તૂટીને નીચે પડ્યું હતું. આ તૂટેલા ગટરના ઢાંકણાના કારણે જો કોઈ વાહનચાલક કે રાહદારી ગટરમાં ખાબકે તો જાનહાનિ પણ થઈ શકે છે. તો આ ઢાંકણનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)