15 જૂને મોરબીના વીસીપરામાં રામદેવપીર મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડ પર બનેલા રામદેવપીર મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 15 જૂન ને શનિવારના રોજ યોજાશે.

જય વેલનાથ દેવાંગી રામામંડળ આયોજિત વીસીપરાવાળા રામદેવપીર મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે 15 જૂનના રોજ સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સવારે 8 કલાકે સામૈયા કરવામાં આવશે. ત્યારબાદ 10 વાગ્યે મહાભિષેક થશે. બપોરે 12-15 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારબાદ 12-30 કલાકે ઈડા, ધજા ચડાવવામાં આવશે. 12-45 કલાકે મહાઆરતી થશે અને બપોરે 1 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ બપોરે 1-10 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9-30 કલાકે સંતવાણી (ભજન)નો કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર રાહુલભાઈ રાવલ સાજિંદા ગ્રુપ સાથે ભજનની રમઝટ બોલાવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શાંતિવન આશ્રમના કલ્યાણાનંદ બાપુ ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમમાં જાહેર જનતાને પધારવા ભુવા રાજુભાઈ ડાભી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text