મચ્છુ-2 ડેમની કામગીરીનું નિરક્ષણ કરતા ધારાસભ્ય કાંતિલાલ અને દુર્લભજીભાઈ

- text


કામગીરી ઝડપભેર કરવા અને પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અધિકારીઓને અપાઈ સૂચના

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હોય ત્યારે આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.

મચ્છુ 2 ડેમના પાટિયા રીપેરીંગ સહિતની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સ્થળ મુલાકાત લીધી હતી. આ વેળાએ શહેર ભાજપ મહામંત્રી સહિતના સંગઠનના હોદેદારો પણ જોડાયા હતા.

બન્ને ધારાસભ્યોએ કામનું નિરક્ષણ કરી પાણી પુરવઠા વિભાગના અધિકારી અને સિંચાઇ વિભાગના અધિકારીઓને બોલાવી ઝડપથી કામગીરી પરિપૂર્ણ થાય અને પાણીનો કોઈ પ્રશ્ન ન સર્જાઈ તેવી સૂચના આપી હતી.

- text

- text