- text
નગરપાલિકા દ્વારા અત્યાર સુધી 300થી વધુ મિલકતોને નોટિસો ફટકારાય
મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આજે પંચાસર રોડ ઉપરની મિલ્કતોમાં તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં 16 જેટલી મિલકતોને ફાયર સેફટી ન હોવાથી નોટિસો ફટકારવામાં આવી છે.
મોરબીમાં ફાયર વિભાગની કામગીરી યથાવત છે. અત્યાર સુધીમાં 300 કરતા વધુ મિલકતોને નોટિસ આપવામાં આવી છે. પંચાસર રોડ ઉપર આજે પ્લેહાઉસ,ટ્યુશન ક્લાસિસ તેમજ કોમ્પ્લેક્ષ મળી 16 મિલકતોમાં ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મિલ્કતોમાં ફાયર સેફટી ન હોવાનું ખુલતા તમામને નોટિસ ફટકારાય છે. તેમજ જ્યાં સુધી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરાય ત્યાં સુધી કામગીરી શરૂ નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.
- text
- text