વીજ તંત્રની મનમાની સામે માળીયા મિયાણાના ગામોના ખેડૂતોએ આપ્યું આવેદન..

- text


ખેતરમાંથી નીકળતી વીજ લાઈનમાં યોગ્ય વળતર ન આપવા આવતા ખેડૂતોએ કલેકટરને કરી રજૂઆત

માળીયા (મી.): માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલા, ખાખરેચી, વેણાસર, વેજલપર, કુંભારીયા ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી નીકળતી અમદાવાદ લાકડીયા 765 કેવી વીજ લાઈનમાં યોગ્ય વળતર ન મળતા કલેકટરને આવેદન આપી પૂરું વળતર આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પહેલા ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં ત્રણેક મોટી લાઈનો નિકળતી હતી. તેમાં યોગ્ય વળતર ચુકવવામાં આવેલુ છે. ત્યારે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની રુકાવટ કે અડચણ ઉભી કરવામાં ન આવી હોવા છતાં કલમ -16 અન્વયે વિજલાઈન નિર્માણ કાર્ય અટકાવવા બાબતે નોટીસ બજાવેલી છે. ત્યારે પોતાના ખેતરમાંથી નીકળતી અમદાવાદ લાકડીયા 765 કેવી વીજ લાઈનમાં યોગ્ય વળતર નક્કી કરી ચૂકવવા અને વિજટાવરનું ભાડુ નક્કી કરવા માંગ કરવામાં આવી છે.

- text

- text