મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ મોરબીમાં સીતારામ સેવા ગ્રુપ દ્વારા ઠંડા-પીણા અને સરબતનું વિતરણ

- text


મોરબી : આજે 9 જૂન ને રવિવારના રોજ વીર શિરોમણી અને દેશભક્તિના પ્રતીક મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ઠંડા પીણાં તેમજ સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શનાળા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજ આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડિયા, રાજકોટ યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા ગ્રુપના સર્વે ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text