9 જૂને સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા ટંકારામાં ચંડી મહાયજ્ઞનું આયોજન

- text


ટંકારા : મ. ક. સ.સુ. દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરિવાર (ટંકારા-રામગઢ, કોયલી) દ્વારા આગામી તારીખ 9 જૂન ને રવિવારના રોજ ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા ટંકારામાં ચામુંડા માતાજીના મંદિરે 9 જૂનના રોજ ચામુંડા માતાજીના ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 8 જૂન ને શનિવારના રોજ સાંજે 6 કલાકે ચામુંડા માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે. ત્યારબાદ 7 વાગ્યે ચામુંડા માતાજીની મહાઆરતી થશે. રાત્રે 8 કલાકે રાસ-ગરબાનું આયોજન કરાયું છે. 9 જૂન ને રવિવારે સવારે 7-30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સવારે 8 વાગ્યે ચામુંડા માતાજીના શ્રૃંગાર દર્શન કરી શકાશે અને બપોરે 12 કલાકે બીડું હોમવામાં આવશે. ત્યારબાદ બપોરે 12-30 કલાકે લોહાણા મહાજનની વાડી ખાતે મહાપ્રસાદ યોજાશે. આ કાર્યક્રમમાં સમસ્ત રાઠોડ પરિવાર (ટંકારા-રામગઢ, કોયલી)ને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text