મોરબી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જીવતા વાયર દુર્ઘટના સર્જે તેવી ભીતિ

- text


મોરબી : મોરબી રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર જીવતા વાયર સાથે કામ કરવામાં આવી રહ્યું હોય, કોઈ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તેવામાં રેલવે તંત્ર તાકીદે પગલા લ્યે તેવી માંગ ઉઠી છે.

મોરબી રેલવે સ્ટેશન ખાતે હાલ રીપેરીંગ કામ ચાલુ હોય જેમાં આજરોજ કામીખીયાના ટ્રેનના પેસન્જરો અને વાંકાનેરથી ડેમુ ટ્રેનના પેસેન્જરોનું વધુ ટ્રાફિક હોય જીવતા અને લીકેજ કેબલો સાથે ચાલવાના રસ્તે લોખંડની સીડીઓ પણ દેખાય હતી. જાગૃત મુસાફરે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને જાહેર કર્યો છે. જો કે મુસાફરે સ્ટેશન માસ્તરનુ ધ્યાન દોરતા તેઓએ તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને બોલાવી લીકેજ કેબલને ઠીક કરી આપવાની ખાત્રી આપી હતી.

- text

- text