મહેન્દ્રનગરની ક્રાંતિ જ્યોત સોસાયટીમાં અગ્નિકાંડના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલી ક્રાંતિ જ્યોત સોસાયટીમાં સ્થાનિકો દ્વારા રાજકોટની ગેમઝોન દુર્ઘટનાના દિવંગતોને અશ્રુભીની શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામા લોકોએ ઉપસ્થિત રહી દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવી પરમ કૃપાળુ પરમાત્મા દિવંગતોના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી હતી. આ વેળાએ દિપક અંદરપા, રમેશભાઈ, હસુભાઈ મોહનભાઈ, મહેન્દ્રભાઈ, ભદ્રેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text