TRP Game zone fire: મોરબી કરણી સેના મૃતકોને આજે સાંજે શ્રદ્ધાંજલિ પાઠવશે

- text


 

મોરબી : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના આત્માઓની શાંતિ માટે આજે સાંજે 7 વાગ્યે શ્રી રાજપૂત કરણી સેના, મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આજે સાંજે 7 વાગ્યે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાશે. જેમાં મોરબી જિલ્લા, શહેર અને આસપાસના વિસ્તારમાંથી શ્રી રાજપૂત કરણી સેનાના તમામ હોદ્દેદારો, રાજપૂત સમાજની અન્ય સંસ્થાના હોદ્દેદારો અને સમાજના દરેક લોકોને ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા અપીલ કરવામાં આવી છે.

- text