- text
મોરબી : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના આત્માઓની શાંતિ માટે મોરબીમાં આજે રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આજે સાંજે 7 વાગ્યે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા, શહેર અને આસપાસના વિસ્તારમાંથી રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો, રાજપૂત સમાજની અન્ય સંસ્થાના હોદ્દેદારો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
- text
- text