લખધીરપુરથી પાનેલી જતો માર્ગ ખુલ્લો કરવા મામલતદારને રજૂઆત

- text


મોરબી : મોરબીના લખધીરપુરથી પાનેલી જતો માર્ગ ખુલ્લો કરવા તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા બંધ કરવામાં આવેલા વોકળા ખુલ્લા કરાવવા ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.

લખધીરપુર ગામથી પાનેલી જતો સર્વે નં. 140 પૈકીમાંથી માર્ગ GIDC દ્વારા બંધ કરવામાં આવ્યો છે. તેમજ જાંબુડીયા સર્વે. નં. 146 તે વિસ્તારનું પાણી જે પાનેલી તળાવમાં જતું હતું તે પાણીનાં વોકળા બંધ કરી દેતા હવે તે પાણી લખધીરપુરના ખેતરોમાં ઘુસી જાય છે.આ સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા લખધીરપુર ગામથી પાનેલી જતો માર્ગ તેમજ વોકળા ખુલ્લા કરવા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે,

- text

- text