મચ્છુ-2 ડેમ પાસે નદીમાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી જતા મોત

- text


મોરબી જિલ્લામાં છેલ્લા થોડા જ દિવસોમાં પાણીમાં ડૂબી જતા 8ના મોત નિપજ્યા

મોરબી : મોરબીના મકનસરના કિશોરનું મચ્છુ-2 ડેમ પાસે નદીમાં ન્હાતી વેળાએ ડૂબી જતાં મોત થયું છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મકનસરના બે મિત્રો આજે મચ્છુ-2 ડેમ પાસે નદીના ન્હાવા ગયા હતા. જેમાંથી દેવરાજભાઈ નરેન્દ્રભાઈ, (ઉ.વ. 17) ડૂબી ગયો હતો. જેને પગલે બપોરે 2:00 વાગે મોરબી કંટ્રોલરૂમમાં કોલ આવેલો હતો કે મચ્છુ ડેમ 2 મંદિર પાસેના વિસ્તારમાં એક વ્યક્તિ ડૂબી ગયેલ છે. મોરબી ફાયર દ્વારા રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી. આ ટીમે લોકલ તરવૈયા સાથે બે કલાકની જહેમત બાદ કિશોરને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.

- text

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોરબી જિલ્લામાં ત્રણ-ત્રણ બાળકો અને યુવાનો મળી 6 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ત્યારબાદ વધુ એક યુવાનનું પણ ડૂબી મોત નીપજ્યું હતું. ઉપરાંત આજે પણ એક કિશોરનું મોત થયું છે. આમ થોડા જ દિવસોમાં 8 લોકોના ડૂબી જતાં મોત નિપજ્યા છે.

- text