- text
Morbi: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમમાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
મોરબી બાર એસોસિએશનનાં પ્રમુખ દિલીપ અગેચાણીયા સહિતના હોદ્દેદારોએ જણાવ્યું કે તેઓ મૃતકોના પરિવાર સાથે દિલથી જોડાયેલા છે અને તેમને દરેક કામમાં મદદ કરવાની ખાત્રી આપી છી.
આ ઉપરાંત, એવી માંગણી કરવામાં આવી છે કે, જવાબદારો સામે અસરકારક કડકમાં કડક પગલાં લેવાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને ઝડપી ન્યાય મળે.
- text
- text