મોરબીમાં રાજકોટ આગ દુર્ઘટનાના મૃતકોની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન 

- text


આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરાયું

મોરબી : રાજકોટ ગેમઝોન ગોઝારો અગ્નીકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

નગર દરવાજા ચોક (નહેરૂ ગેઇટ ચોક) ખાતે સાંજે આજે 26 મેના રોજ સાંજે 6.30 કલાકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાશે. જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓને ફરજિયાત હાજરી આપવા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા સમિતિ, ગીરીશભાઈ પેથાપરા- પ્રમુખ, પંકજભાઈ રાણસરીયા- પ્રભારી, ભાવીન ફેફર (વકિલ)- મહામંત્રી, હિતેશભાઈ ભટ્ટ- મોરબી શહેર પ્રમુખ, તથા માળીયા તાલુકા ટીમ, ટંકારા તાલુકા ટીમ, મોરબી તાલુકા ટીમ, વાંકાનેર તાલુકા ટીમ, હળવદ તાલુકા ટીમ દ્વારા જણાવાયું છે.

- text

- text