મોરબીમાં આદ્ય ઋષિ મહર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી

- text


મોરબી : તા.૨૪/૫/૨૦૨૪ના રોજ વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા આદ્ય ઋષિ મહર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીની શિશુ મંદિર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી શહેરના વરિષ્ઠ પત્રકાર બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આ અવસરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ પત્રકાર મિત્રો સાથે ગોષ્ઠિ કરેલ અને સમાજ જીવનમાં પત્રકારત્વનું મહત્વ ઉચ્ચ સ્થાને છે તે અંગે વાતચીત કરેલ. પત્રકાર મિલનના આ સુંદર કાર્યક્રમમાં ભોજન લઈ સૌ એ RSS દ્વારા શિશુ મંદિરમાં પ્રારંભિક વર્ગ ના દર્શન કરેલ. આ કાર્યક્રમની સફળતા માટે જયદીપ ભાઈ કંઝારિયા, ચિરાગભાઈ ભોરણીયા, દિલીપભાઈ પરમાર તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ.

- text

- text