રાજકોટ ગેમઝોન આગકાંડમાં મૃત્યુ પામેલા લોકો માટે રાજ્યપાલે દુ:ખ વ્યક્ત કર્યું

- text


 

મોરબી : રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગે 26 જિંદગીઓ હણી લીધી છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શકયતા છે. આ ઘટનાને લઈને રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું છે.

આ ઘટનાને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે રાજકોટમાં આગની ભયંકર ઘટનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુ:ખદ અકસ્માત અત્યંત દર્દનાક છે. આ મુશ્કેલ સમયમાં, હું અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ દુ:ખ અસહ્ય છે અને હું આ દુ:ખમાં સહભાગી છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને શક્તિ આપે.

રાજ્ય પ્રશાસન દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય પ્રશાસન તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. સલામત અને સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

- text

- text