રાજકોટ ગેમઝોન આગકાંડ: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી રાજકોટ આવવા રવાના

- text


 

મોરબી : રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન આગકાંડમાં મોતનજ તાંડવ મચ્યું છે. જેને પગલે રાજ્ય સરકાર એલર્ટ થઈ છે.હાલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ફાટી નીકળેલી વિકરાળ આગમાં અનેક લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હાલ 26એ પહોંચ્યો છે. જે વધવાની શકયતા છે. આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવવા રવાના થયા છે. તેઓ રાત્રે બે વાગ્યાની આસપાસ પહોંચીને ઘટના સ્થળની મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓ સાથે રાત્રે જ મીટીંગ કરશે.તેવું જાણવા મળી રહ્યું છે.

- text

- text