રાજકોટ ગેમઝોન આગ : મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાલે ઘટના સ્થળની લેશે મુલાકત

- text


 

મોરબી : રાજકોટમાં ગેમઝોનની દુર્ઘટનાએ 24 જિંદગીઓને મોતના મુખમાં ધકેલી દીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવતીકાલે ઘટનાસ્થળની મુલાકાત લેવાના છે તેવું જાણવા મળી રહ્યું છે.

- text

રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. હાલ મૃત્યુઆંક 24એ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લા કલેકટરના સીધા સંપર્કમાં છે. એવામાં સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ઘટના સ્થળની મુલાકાત લેશે અને સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી બનાવ અંગેની તમામ વિગતો મેળવી કાર્યવાહી માટેનું માર્ગદર્શન પૂરું પાડશે.

- text