રાજકોટ ગેમઝાન આગકાંડ: રાજ્યનાં તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ 

- text


ગાંધીનગર: રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં 26 લોકોનાં મોત થયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને ઘોડા છૂટ્યા પછી તબેલાનાં તાળા મારવા નિકળ્યા હોય તેમ રાજ્યમાં આવેલા તમામ ગેમીંગ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ આપ્યા છે.

રાજ્યમાં તમામ ગેમ ઝોનની તપાસણી કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમઝોન બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપી છે.

આ કાર્યવાહી મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગનો મૃત્યુઆંક 26 થયો છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. કેમ કે,

ગેમઝોનનો ઉપરના માળનો કાટમાળ ખસેડવાનો બાકી છે. બચાવ કામગિરી ચાલુ છે. ચારે તરફથી લોકોનો આક્રોષ જોવા મળી રહ્યો છે. આગમાં જીવ ગુમાવનારનાં પરિવારમાં આક્રંદ છે. કેમ કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સરકારે સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી ઘટનાઓમાં કોઇ બોધપાઠ લીધો નથી એ ફલિત થાય છે એમ લોકજીભે ચર્ચાય છે.

- text

આ દરમિયાન, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે,”

- text