રાજકોટ ગેમીંગ ઝોનમાં આગની ઘટના બાદ મોરબીમાં આ ચાર ગેમીંગ ઝોન બંધ કરાયાં

- text


Morbi: મોરબી જિલ્લા કલેકટરે મોરબીમાં આવેલા ચાર જેટલા ગેમઝોન બંધ કરવા આદેશ આપ્યો છે. આ તમામ ગેમઝોન તાત્કાલિક બંધ કરાવવા મામલતદાર સૂચનાને અપાઈ છે. મામલતદાર નિખિલ મહેતા દ્વારા યોગાટા,પપ્પાજી ફન વર્લ્ડ, થ્રીલ એન્ડ ચિલ,અને લેવલ અપ ગેમઝોન બંધ કરાવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના TRP ગેમ ઝોનમાં આજે સાંજના સમયે લાગેલી વિકરાળ આગમાં 26 લોકોના મોત નિપજ્યા છે

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં 26 લોકોનાં મોત થયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને ઘોડા છૂટ્યા પછી તબેલાનાં તાળા મારવા નિકળ્યા હોય તેમ રાજ્યમાં આવેલા તમામ ગેમીંગ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ આપ્યા છે.

રાજ્યમાં તમામ ગેમ ઝોનની તપાસણી કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમઝોન બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપી છે.

આ કાર્યવાહી મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગનો મૃત્યુઆંક 26 થયો છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. કેમ કે,

ગેમઝોનનો ઉપરના માળનો કાટમાળ ખસેડવાનો બાકી છે. બચાવ કામગિરી ચાલુ છે. ચારે તરફથી લોકોનો આક્રોષ જોવા મળી રહ્યો છે. આગમાં જીવ ગુમાવનારનાં પરિવારમાં આક્રંદ છે. કેમ કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સરકારે સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી ઘટનાઓમાં કોઇ બોધપાઠ લીધો નથી એ ફલિત થાય છે એમ લોકજીભે ચર્ચાય છે.

- text