પીપળી ગામે ભાજપનાં કાર્યકર જયદીપ દેત્રોજાએ જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું

- text



મોરબી:મોરબીના પીપળી ગામ ખાતે આવેલા કલ્યાણદાસ બાપુના આશ્રમ ખાતે આજે ભાજપના કાર્યકર્તા જયદીપભાઈ દેત્રોજાના 35માં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 3-4 એકર જમીનમાં 35 જેટલા વૃક્ષો વાવી તેના ઉછેર માટેનો સંકલ્પ લીધો છે..

- text

આ દરમ્યાન તેમણે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરી હતી. હાલના સમયમાં આડેધડ વૃક્ષોનું કાપવામાં આવે છે અને માનવજાતે તેના માઠા પરિણામ ભોગવવા પડે છે ત્યારે આવનારી પેઢી માટે પૃથ્વીને હીટવેવથી બચાવવા માટે આ વૃક્ષારોપણ કરી લોકોમાં જાગૃતતા આવે તે માટે પહેલ કરી છે.

- text