મોરબીમાં જલારામ મંદિર ખાતે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૨૬-૫ રવિવાર ના રોજ સવારે ૮ કલાકે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે.

જેમાં વૃધ્ધાશ્રમના વડીલો ઉપરાંત સર્વજ્ઞાતિય વડીલોનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવામાં આવશે. ઉપસ્થિત દરેક વડીલો તેમજ મહાનુભવો માટે ગરમા ગરમ ગાંઠીયા જલેબી ના અલ્પાહાર પ્રસાદની વ્યવસ્થા રાખવા માં આવેલ છે. મોરબીમાં રહેતા દરેક સિનિયર સિટીઝન્સને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.તેમ નિર્મિત કક્કડ – પ્રમુખ- જલારામ સેવા મંડળની યાદીમાં જણાવાયુ છે.

- text

- text