મોરબી અપડેટનાં યુવા એંકર સત્યરાજસિંહને સાંભળો આકાશવાણીના યુવાવાણી કાર્યક્રમમાં

- text


17મેના રોજ આકાશવાણી રાજકોટ પર સાંજે 6-30 વાગ્યે પ્રસારિત થશે ઈન્ટરવ્યૂ

મોરબી : યુવાનોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળી રહે અને સકારાત્મક વિચારો સાથે યુવાનો આગળ વધે તે માટે આકાશવાણી રાજકોટ કેન્દ્ર દ્વારા યુથ આઈકોન શ્રેણી અંતર્ગત યુવાવાણી કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોરબી અપડેટના યુવા એંકર સત્યરાજસિંહ જાડેજાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વિચારો આજના યુવાનોને ઘણું પ્રેરકબળ પૂરું પાડશે.

- text

આ યુવવાણી કાર્યક્રમ તારીખ 17 મેના રોજ સાંજે 6:30 વાગ્યે આકાશવાણી રાજકોટ પર સીધું પ્રસારણ થશે. જે All India Radio live એપ પર અથવા આકાશવાણી લાઈવ રેડિઓની વેબસાઈટ પર જઈને AIR Rajkot પર સાંભળી શકાશે. કાર્યક્રમના નિર્માતા ભરતભાઈ કરમટા છે. પ્રસ્તુતિ પાર્થભાઈ જાની દ્વારા કરાઈ છે અને યુવાવાણીના આ કાર્યક્રમમાં મોરબી અપટેડના યુવા એંકર સત્યરાજસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને ઈન્ટરવ્યૂ આપીને પોતાના વિચારો રજૂ કર્યા છે.

- text