મોરબીમાં મહાશિવરાત્રીએ નિ:શુલ્ક યોગશિબિર યોજાશે : લોકોને જોડાવા અપીલ

- text


મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે આગામી તારીખ 8 માર્ચને શુક્રવારે સવારે 7:00 થી 9:00 કલાક દરમ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગશિબિર બાળવન ક્રીડાંગણ, ક્રિશ્ના સ્કૂલની સામે, રવાપર-ધુનડા રોડ, મોરબી ખાતે યોજાશે. શિબિરમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

શિવરાત્રી નિમિત્તે ગુજરાતભરમાં યોજાનાર 41 યોગ શિબિર સાથે મોરબીમાં પણ એક દિવસીય નિ:શુલ્ક યોગશિબિર યોજાશે. જેમાં શિવમય વાતાવરણમાં સામૂહિક રીતે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને શિવતાંડવ અને યોગ આધારિત કૃતિ પ્રસ્તૃતિ, આરતી અને પ્રસાદ વિતરણ રહેશે. ઉપરોક્ત યોગ શિબિરમાં યોગ અને વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તેમના 25 કે વધુ સભ્યો સાથે હાજર રહ્યે અને પુરા પરિવાર સાથે જોડાનાર કુટુંબોનું વિશેષ સન્માન પણ થવાનું હોઈ, યોગમાં રુચિ ધરાવનાર, યોગ વિષયમાં જાણકારી મેળવવા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિનો પરિચય મેળવવા, નીચે આપેલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરી યોગ શિબિરમાં નિ:શુલ્ક રીતે જોડાવવા મોરબી જિલ્લાના બધા યોગ કોચ, યોગ ટ્રેનર અને કોર કમિટી મેમ્બર્સ અને જિલ્લા અને ઝોન કોર્ડીનેટર દ્વારા અનુરોધ કરાયો છે. રજીસ્ટ્રેશન લિંક:
https://forms.gle/urSdGUY6QTGnHF6J8

- text

વધુ માહિતી માટે વાલજી પી.ડાભી, મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર (9586282527) અથવા વિજય ભાઈ શેઠ, કચ્છ ઝોન યોગ કોર્ડીનેટરનો (9099881155) સંપર્ક કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવેલ છે.

- text