વાંકાનેરમાં આવતીકાલે શુક્રવારે ‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત મીટિંગ યોજાશે

- text


વાંકાનેર : આવતીકાલ તારીખ 9ને શુક્રવારે સવારે 10:00 કલાકે ભાજપ કાર્યાલય, પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ, 8-એ નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે ‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ મિટિંગમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પ્રભારી રવિભાઈ સનાવડા પધરાવવાના હોય ત્યારે આ મીટિંગમાં પ્રદેશ ભાજપ હોદેદારો, જિલ્લા ભાજપ હોદેદારો, તાલુકા તેમજ શહેર સંગઠન હોદેદારો, જિલ્લા પંચાયત હોદ્દેદારો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, શક્તિકેન્દ્ર પ્રભારી – સંયોજક, તાલુકા, શહેરના તમામ મોરચાના હોદેદારો, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો, IT અને SM ટીમ, તાલુકા, શહેરના વિવિધ સેલના હોદેદારો તેમજ સર્વે કાર્યકરોને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયુ છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

- text